દીવમાં પ્રશાસકનો શિક્ષકો સાથે સંવાદ
- byDamanganga Times
- 15 August, 2026
દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ હંમેશા કેન્દ્રશાસિત પ્રદેશમાં શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો કરવા માટે પ્રતિબદ્ધ રહ્ના છે. આ સંદર્ભમાં, આજે દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે પ્રશાસક પ્રફુલ્લ પટેલની ઉપસ્થિતિમાં, દીવની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો સાથે ઍક સફળ શિક્ષકો સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શિક્ષણ અને શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક સુધારણા અને સકારાત્મક પરિવર્તન તરફ ઍક નવીન અને મહત્વપૂર્ણ પહેલ હતી.
