દાંડીમાં ૧૫ ઓગસ્ટે ‘શૌર્યગાથા’ કાર્યક્રમ યોજાશે
- byDamanganga Times
- 14 August, 2026
વાપી, તા.૧૩ ઃ દાંડી ખાતે આવેલા રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક ખાતે ભારતની આઝાદીની ઉજવણી નિમિત્તે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યે ‘શૌર્યગાથા’ શૌર્ય ગીતોનો વિશેષ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં દેશભક્તિ અને શૌર્યની ભાવનાને ઉજાગર કરતા ગીતોની રજૂઆત મેઘ મલ્હાર ગ્રુપ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે નવસારીના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ ગુરવાની, ત્ખ્લ્ની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે યોજાનાર આ કાર્યક્રમમાં દેશભક્તિની ભાવનાને વેગ આપતી વિવિધ સંગીતમય કાર્યક્રમ રજૂ થશે.
